દાહોદના કસ્બા વિસ્તાર ખાતે રહેતો 42 વર્ષીય ઈમ્તિયાઝ ઉદ્દીન ઈકબાલ ઉદ્દીન કાઝી ખાનગી નોકરી કરી પોતાનું ગુજરાણ ચલાવતો હતો અને ગત તારીખ 11-8-2024 ના રોજ રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરેથી કોઈને પણ કસુ કહ્યા વગર નીકળી ગયો હતો જોકે રાત્રે મોડે સુધી ઇમ્તિયાઝઉદ્દીન કાઝી પોતાના ઘરે પરત ન આવતા રાત્રીના સમયે અને સવારના સમયે પરીવાર જનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો અને પરીવાર જનોએ સોશિયલ મીડિયા પર ઇમ્તિયાઝઉદ્દીન કાઝી મિસિંગ હોવાની જાણકારી આપી હતી તેમ છતાંય તે મળી ન આવતા તેમના પરિવારજનોએ પોલીસમાં મિસિંગ અંગેની જાણવા જોગ આપી હતી પોલીસની ટીમે પણ ઇમ્તિયાઝઉદ્દીન કાઝીને શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ શોધખોળ કરી હતી પરંતુ પોલીસના કેમેરામાં પણ ગુમ થયેલો ઇમ્તિયાઝઉદ્દીન કાઝી ના મળતા આખરે સાંજના ચાર વાગ્યાના આસપાસ દાહોદના એતિહાસિક છાબ તળાવમાં લોકોને યુવકની લાશ તરતી જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી અને એ ડિવિઝન પોલીસ તરતજ ઘટના સ્થળે આવી હતી અને ફાયરના જવાનોને બોલાવી પાણીમાં તરતી લાશને પાણીમાંથી બહાર કાઢતા તે યુવક દાહોદના કસ્બા વિસ્તારના કાજીવાડા વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝઉદ્દીન કાઝી હોવાનું માલુમ પડતા પોલીસે તેના પરિવારજનોને બોલાવ્યા હતા અને તેની ઓળખ કરાવતા તે ગુમ થયેલો ઇમ્તિયાઝઉદ્દીન કાઝી હોવાનું જણાવ્યું હતું અને પોલીસે લાશનું પંચનામું કરી ડેડબોડીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી હતી અને ત્યારબાદ પોલીસમાં મરણ જનાર યુવકની એડી નોંધાતા પોલીસે તે મરણ જનાર યુવકના પરિવારના સભ્ય કલિમઉદ્દીન અલીમઉદ્દીન કાઝીની જાહેરાત લેતા તેને જણાવ્યું હતુંકે મરણ જનાર ઇમ્તિયાઝઉદ્દીન કાઝી છેલ્લા કેટલાય સમયથી તેની મગજની માનસિક બીમારીથી પીડાતો હતો અને તેની મગજની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેને પોતે અકસ્માતે છાબ તળાવના પાણીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે યુવકની મોતના સમાચાર સાંભળી પરિવારમાં માતમ છવાયો હતો
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333