લશ્કરી ભરતી નિવાસી તાલીમમાં વિનામૂલ્યે ભાગ લેવા માટે જીલ્લા રોજગાર કચેરી, દાહોદને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી
દાહોદ : આગામી સમયમાં ૬૦ ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ આપવામા આવશે. અગ્નિવીર લેખીત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને તાલીમ માટે અગ્રતા આપવામાં આવશે.
દર વર્ષની જેમ વર્ષ ૨૦૨૪-૨૫ માટેની ફ્રી નિવાસી તાલીમમા જોડાવવા માટે તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં જીલ્લા રોજગાર કચેરી, દાહોદને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.
૩૦ દિવસના લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે, ઉમેદવારનું નિયત નમુનામા અરજીફોર્મ, સંમતિ પત્રક અને બાંહેધરી પત્રક, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ, જાતિનું પ્રમાણપત્ર, ધોરણ-૧૦ ની માર્કશીટ, અન્ય ઉચ્ચ અભ્યાસની માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ડોમિસાઈલ સર્ટિફિકેટ (જો હોય તો અન્યથા કઢાવીને જમા કરાવવું, સ્પોર્ટ/NCC સર્ટિફિકેટ.(જો હોય તો)
આ તાલીમાં ઉમેદવારોને ૩૦ દિવસની વિનામુલ્યે રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા આપવામા આવશે. ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે ૮ પાસ,૧૦ પાસ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા પાસ કે ઉચ્ચ અભ્યાસ પાસ થયેલા ૧૭.૫ થી ૨૧ વર્ષની ઉંમર, ૧૬૮ સેમીથી વધુ ઉંચાઈ (એસ ટી ઉમેદવાર માટે ૧૬૨ સેમી થી વધુ )અને ૫૦ કિ.ગ્રા વજન અને ૭૭ સેમીથી વધુ છાતી ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોએ કચેરીનો રુબરુ સંપર્ક કરીને નિયત અરજી સાથે ફોર્મ ભરવાનું રહેશે.
અરજી કરેલા ઉમેદવારોમાંથી સ્ક્રુટીની કરીને તમામ કેટેગરીના ૩૦ ઉમેદવારોને અને ૩૦ અનુસૂચિત જનજાતિ (એસ.ટી. ઉમેદવારોને ) એમ દાહોદ જીલ્લાના કુલ ૬૦ ઉમેદવારોને આગામી સમયમાં ૩૦ દિવસની ૨૪૦ કલાકની તજજ્ઞ વકતા અને ટ્રેનર દ્વારા શારીરિક અને બૌદ્ધિક લેખિત પરીક્ષાની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે.
ઉપરાંત ઉકત ફીઝીકલ અને લેખિત તાલીમ આપવા માંગતી અનુભવી સંસ્થા, શિક્ષકશ્રી તેમજ ફેકલ્ટી, કો-ઓર્ડીનેટર પણ આ ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવે છે.
વધુ માહીતી માટે જીલ્લા રોજગાર કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો ડોકયુમેન્ટ સાથે સંપર્ક કરવા રોજગાર અધિકારી, દાહોદની યાદીમાં જણાવાયું છે.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333
Post Views: 42 રીપોર્ટ:નઈમ મુન્ડા દાહોદ દાહોદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમની કામગીરી સંદર્ભે પત્રકાર…