દાહોદ:-વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ ધાનપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા….
“ વંદે માતરમ “અને “ભારત માતાકી જય” ના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ રાજ કિસાન પેટ્રોલ પંપથી લીલીઝંડી આપીને પ્રારંભ કર્યો હતો. આ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે સમાપન થઈ હતી…દેશપ્રેમના ગાનથી ધાનપુરની સડકો ગુંજી ઉઠી હતી.
આ તિરંગા યાત્રામાં ધાનપુર તાલુકાના તમામ પદાધિકારીશ્રીઓ,તમામ વિભાગના અધિકારીશ્રીઓ ,કર્મચારીશ્રીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત માટે સંપર્ક કરો તેમજ સમાચારો માટે સંપર્ક કરો