શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયા 32 રનથી હાર્યું, સીરીઝ પર શ્રીલંકાની 1-0 થી સિરીઝ પર લીડ
Sports News | દેશ સમાચાર, રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વન ડે સીરીઝની બીજી મેચમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો…
ભારતીય ટીમના રોહિત શર્માની કપ્તાનીમાં શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની વન ડે સીરીઝની બીજી મેચમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. જેમાં શ્રીલંકાએ 32 રને મેચ જીતી છે. જોકે ભારત અને શ્રીલંકાની પહેલી મેચ ટાઈ થઈ હતી. ત્યારે આવા સમયે મેજબાન ટીમ શ્રીલંકાએ આ સીરીઝ પર 1-0થી લીડ બનાવી લીધી છે. હવે ત્રીજી અને છેલ્લી વન ડે 7 ઓગસ્ટના રોજ રમાડવામાં આવશે. જોકે બીજી વન ડે મેચમાં શ્રીલંકાએ 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રન બનાવી શકી હતી અને મેચ હારી ગયા હતા. કપ્તાન રોહિત શર્માએ 29 બોલમાં ફિફ્ટી કરી હતી. તેણે 44 બોલમાં સૌથી વધારે રન ફટકાર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 44 અને શુભમ ગિલે 35 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત વિરાટ કોહલીએ 14, શ્રેયસ અય્યરે 7, કેએલ રાહુલે 0, શિવમ દૂબે 0 આ બધા ફ્લોપ સાબિત થયા હતા. આ સ્ટાર બેટ્સમેનોને લેગ સ્પિનર જેફરી વેંડરસે પોતાની જાળમાં ફસાવ્યા અને શિકાર બનાવતા શ્રીલંકાને જીત અપાવી હતી. મેચમાં જેફરીએ 33 રન આપીને 6 વિકેટ લીધી હતી, જ્યારે કપ્તાન ચરિથ અસલંકાએ 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.
Editor & Chief Naeem Munda Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત બિલકુલ વ્યાજબી ભાવે આપવા માટે સંપર્ક કરો સમાચારો માટે અમારો સંપર્ક કરો 9427846262…9879867333