દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા સાદિક શબ્બીર હાસા ટ્રક ડ્રાઇવર અને વણકરવાસ વિસ્તારમાં રહેતા સાજીદ ખાન બેરખાન શેખ ટ્રક ક્લીનર મળતી માહિતી મુજબ ગુજરાતથી બે દિવસ અગાઉ મધ્યપ્રદેશમાં માલ ભરીને ગયા હતા અને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી માલ ભરીને ગુજરાત તરફ લાવવાનો હતો ત્યારે બાલાઘાટ જિલ્લાના પરસવાડા તાલુકાના ચાંગોટોલા શેરવી ગામમાં રહેતા પ્રહલાદ ભાઈ બોપચેના ગોડાઉન ઉપર ડાંગર ભરવા માટે GJ=20=X 8555 નંબરની ટ્રક લઈને ગયા હતા અને ત્યાંથી રવિવાર 28 – 07 – 2024 ની તારીખે સવારના 10 વાગ્યે ગુજરાત આવવા માટે નીકળ્યા તે સમયે બાલાઘાટ જિલ્લાના શેરવી ગામ નજીક પહોંચતા રસ્તામાંથી પસાર થતી 11 kv ની હેવી વીજ લાઈન સાથે ટ્રકની પાછળનો ઉપરનો ભાગ અડી જતા ધડાકા સાથે અવાજ આવતા ટ્રેકનો ચાલક અને ક્લીનર બન્ને લોખંડની પટ્ટી પકડીને ભાગવા જતા બન્ને યુવકોને હેવી વીજ કરંટ સ્પર્શી જતા બન્ને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજી જવા પામ્યા હતા અને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જયારે આ ઘટનાની જાણ સ્થાનિક ચાંગોટોલા પોલીસ મથકે કરાતા ત્યાંના ડ્યુટી પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિલીપ કરણે પોતાની ટીમ સાથે ઘસી આવ્યા હતા અને વીજ કર્મચારીઓને બોલાવી વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી ટ્રક ડ્રાઇવર સાદિક હાસા અને ક્લીનર સાજીદ શેખની ડેડબોડીઓને સરકારી હોસ્પિટલ પીએમ અર્થે મોકલયા બાદ આ ઘટનાની જાણ મરણ જનાર બન્ને યુવકોના દાહોદના પરીવાર જનોને કરાતા બન્ને પરીવારોના લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને પરીવાર મોતના સમાચાર સાંભળી માતમમાં ફેરવાયો હતો જોકે દાહોદના ગાડી માલિક અને ટ્રક ડ્રાઇવર તેમજ ક્લીનરના લાગતા વળગતા લોકો મધ્યપ્રદેશના બાલાઘાટના શેરવી ગામે જવા રવાના થયા હતા
દાહોદના બે યુવકોના મોત મામલે સ્થાનિક ધારાસભ્યએ દુખ વ્યક્ત કર્યું
જ્યાં આ ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય મધુ ભગત પણ ઘટના સ્થળે પહોંચી વીજ વિભાગની સામે નારાજગી દર્શાવતા જણાવ્યું હતુંકે મારા મત વિસ્તારમાં જેટલી પણ જગ્યાએ આવા પ્રકારની વીજ લાઈનો નીચે લટકી રહી છે તે તમામ વીજ લાઈનોને ત્વરિત પણે ઉંચી કરી અને લોકોની જાનની સલામતીનું હીત જાળવવા માટેનું કાર્ય કરવામાં આવે આ ઘટના બની છે તે ખુબજ દુખ દાયી છે આવા પ્રકારની ઘટના બીજી વાર ન બનવી જોઈએ વીજ વિભાગની લાપરવાહીના લીધે બે યુવકોના મોત નીપજ્યા છે જો આજ પ્રકારે લાપરવાહી વર્તવામાં આવશે અન્ય કેટલાક લોકો પણ આનો ભોગ બનશે અને નિર્દોષ લોકો મોતને ભેટશે તેવી નારાજગી દર્શાવી વીજ વિભાગનો સ્થાનિક ધારાસભ્ય મધુ ભગતે ઉઘડો લીધો હતો
દાહોદના બે યુવકોના મોત મામલે પરીવારમાં માતમ છવાયો
દાહોદના બન્ને આશાસ્પદ યુવકોના મોત નીપજવાની ઘટનાથી વિસ્તારમાં ગમનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો અને બન્ને યુવકોના પરીવાર જનોમાં માતમ છવાયો હતો જોકે બન્ને યુવકો ગુજરાતના દાહોદ જિલ્લાના રહેવાસી હોવાથી દાહોદ શહેરમાં તેમની આ ઘટનાની ખબર વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ટોળા પણ જોવા મળ્યા હતા જોકે બન્ને યુવકોની ડેડબોડી મધ્યપ્રદેશના સરકારી દવાખાને હોવાથી બન્નેના પોસ્ટમોર્ટમ થવા પછીજ સવને પરીવારજનોને સોંપવામાં આવશે
Editor & Chief Naeem Munda
Editor Faizan Khan
તમારા ધંધા રોજગારની જાહેરાત આપવા માટે અમારો સંપર્ક કરો અથવા સમાચારોની જાણકારી આપવા માટે નીચે આપેલા મોબાઈલ નંબર પર જાણ કરો
9427846262…9879867333